વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા રાજકોટમાં ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યાં હતાં. જાવ્કે પ્રથમ વખત એવું બન્યું હતું કે મિડિયાના કોઈ પણ સવાલના જવાબ આપવાનો શંકરસિંહે ઈન્કાર કર્યો હતો તો પ્રથમ વખત એવું બન્યું હતું કે શંકરસિંહ વાઘેલા જેવા કદાવર નેતાએ મિડિયાથી દુરી રાખવાનુ પસંદ કર્યુ હતું. જો કે બાપુના આ પ્રકારના વર્તનથી ઘણા સવાલો ઉભા થયા છે.શંકરસિંહના આવા વલણને પગલે રાજકોટમાં કાનાફૂસી થઈ રહી છે. જેમાં બાપુએ મિડિયાથી કેમ રાખ્યું અંતર? શું બાપુને પોતાના બાગી બોલને લીધે મળ્યો ઠપકો છે? શું બાપુના શક્તિ પ્રદર્શન બાદ દિલ્હી હાઈકમાન્ડથી મળ્યો છે ઠપકો? આખરે કેમ બાપુએ રાજકિય સવાલોના જવાબ આપવાનું ટાળ્યું? જેવા પ્રશ્નો ચર્ચાની એરણ પર હતા.
આગળની પોસ્ટ