Aapnu Gujarat
Uncategorized

નરેન્દ્ર મોદી વિચાર મંચના હોદેદારો અને આગેવાનોની યોજાઈ બેઠક

સુરેન્દ્રનગર શહેરમાં નવા સર્કિટ હાઉસ ખાતે નરેન્દ્ર મોદી વિચારના હોદેદારો અને આગેવાનોની એક બેઠક યોજવામાં આવી હતી. જેમા નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ચેહરભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ મહામંત્રી ધિરેનભાઈ શુકલ, મંત્રી મીતાબેન કડ, કોમલબેન સંઘવી, સુરેન્દ્રનગર જિલ્લા મહિલા પ્રમુખ પ્રજ્ઞાબેન શુકલ સહિતના હોદેદારો અને આગેવાનોની ઉપસ્થિતમાં ખાસ પધારેલા નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય દ્વારા પત્રકાર પરિષદ સંબોધી હતી.જેમાં આગામી 2024 ની ચુંટણીમાં નરેન્દ્ર મોદી સાહેબને મજબૂત કરવા અને તેમના વિચારો લઈને લોકો સમક્ષ મુકવા કાર્યકરોને અપીલ કરી હતી

તેમજ આગામી આવનાર ચુંટણી એજન્ડા અને વર્ષ 2024 ની ચુંટણીમાં નરેન્દ્ર મોદીને મજબૂત બનાવવા ઉપર ભાર મુકી તલસ્પર્શી ચર્ચા કરી હતી તેમજ આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી વિચાર મંચમાં નવા નિમણૂક કરાયેલા હોદેદારો અને કાર્યકરો સહિત આગેવાનોને ફૂલહાર પહેરાવી સાલ ઓઢાડી પુષ્પગુચ્છ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.

અને સુરેન્દ્રનગર ખાસ પધારેલા નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય બુદ્ધિજીવી રાજકારણમાં ચાણક્યનું બિરૂદ પામેલા આગેવાન ખાસ સુરેન્દ્રનગરમાં પધાર્યા હતા. અને નરેન્દ્ર મોદી સાહેબના વિચારો વિશે ચર્ચાઓ કરી હતી.

Related posts

લીંબડી ખાતે પંચાયત રાજયમંત્રીશ્રી જયંતિભાઇ કવાડીયાના હસ્‍તે ધ્‍વજવંદન

aapnugujarat

Rishad Premji can leave executive role from 2020 : Wipro

aapnugujarat

પ્રભાસપાટણમાં જયા પાર્વતીનાં વ્રત દરમિયાન યુવતીઓ ભગવાને શિવને ભજવા લાગી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1