વાત કરીએ તો જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતે આજ રોજ રાજ્યના પશુપાલન અને ગૌવ સંવર્ધન મંત્રી શ્રી દેવાભાઈ માલમ દ્વારા ધીરુભાઈ રાજા ચોકનું નામા કરણ કરવામાં આવ્યું હતું.ધીરુભાઈ રાજા એવા વ્યક્તિ હતા કે કેશોદના મુક સેવક અને કેશોદના ગાંધી તરીકે નામના મેળવી હતી ધીરુભાઈ રાજા એ પોતાની જિંદગી હોસ્પિટલમાં લોકોની સેવા કરવામાં વિતાવી હતી
જ્યારે કેશોદ વાસીઓ માટે આ ગૌરવ ની વાત કહી શકાય,ત્યારે કેશોદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધીરુ ભાઈની ઋણ અદા કરવા માટે હોસ્પિટલ ચોકને ધીરુભાઈ રાજા ચોક તરીકે જાહેર કર્યો હતો અને તે ચોકની તખતીનુ આજે રાજ્યના પશુપાલન મંત્રી શ્રી દેવાભાઈ માલમના હસ્તે કરવામાં આવ્યું હતું.જ્યારે આ તકે કેશોદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ કેશોદ વાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા