મળતી વિગત મુજબ માળીયા હાટીના અમરાપુર ગામે પરણિત મહિલા શ્વેતાબેન પ્રવીણભાઈ ખાણીયા ઉંમર વર્ષ 29 પોતાના ઘરે સાડીનો દુપટો હુંક સાથે બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે પ્રાથમિક મળતી વિગતો મુજબ પ્રવીણભાઈ ખાણીયાના લગ્ન બે માસ પૂર્વે થયેલા લગ્ન બાદ પ્રવીણભાઈ અને તેમના પત્ની શ્વેતાબેન નસવાડી ખાતે રહેતા હોય જ્યાં પ્રવિણભાઇ પ્રોફેસર તરીકે નોકરી કરતા હતા
જ્યારે બે માસ નસવાડી ખાતે રહી અને આજે વહેલી સવારે પોતાના વતન અમરાપુર ગામે આવેલ બાદમાં સવારના આઠથી સાડા આઠ વાગ્યાના ઘરના સભ્યોએ પ્રવીણ ભાઈના પત્નીને જગાડવા માટે દરવાજો ખખડાવતા અંદરથી કોઈ જવાબ ન મળતા કંઇક અજુગતુ બન્યાની આશંકાએ માળીયા પોલીસને જાણ કરવામાં આવેલ.જ્યારે માળીયાહાટીના પોલીસે ઘટના સ્થળે પહોંચી અંદરથી બંધ દરવાજો ખોલાતા હુક સાથે દુપટ્ટો બાંધેલી હાલતમાં લટકતી લાશ જોવા મળી હતી.માળીયાહાટીના પોલીસ દ્વારા ઘટના સ્થળનુ નિરક્ષણ કરી અને લાશને માળીયાહાટીના સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થ મોકલી આપવામાં આવી છે તેમજ વધુ તપાસ માળીયાહાટીના પી.એસ.આઇ મંધરા એ હાથ ધરી છે