વિપક્ષનાં નેતા પરેશભાઇ ધાનાણીએ સોમનાથ મહાદેવને અભિષેક કરી ધન્યતાનો અનુભવ કરેલ. શ્રી સોમનાથ ટ્રસ્ટનાં અધિકારી દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવેલ સાથે પુજારી દ્વારા તેઓનું સન્માન કરવામાં આવેલ હતું. સાથે જ પરિસરમાં આવેલ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા તથા વીર હમીરજી ગોહિલની પ્રતિમાને નમન કરેલ. આ પ્રસંગે તાલાળાનાં ધારાસભ્ય ભગવાનભાઇ બારડ, કોળી સમાજનાં પ્રમુખ કાનાભાઇ ગઢીયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)
આગળની પોસ્ટ