Aapnu Gujarat
Uncategorized

ચુડાસમા પરિવાર દ્વારા ખોડિયાર માતાજીના પ્રાગટ્ય દિનની કરાઈ ઉજવણી

કેશોદ તાલુકાના ચર ગામે આજે સમગ્ર ચુડાસમા પરિવાર દ્વારા ભગવતી આઈ ખોડિયાર માતાજીના પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી.જ્યારે આ કાર્યક્રમમાં ચર ગામના સમગ્ર ગ્રામજનો જેમાં હિન્દૂ અને મુસ્લિમ સમાજ સાથે અન્ય સમાજના લોકોએ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ચુડાસમા પરિવારના ભુવા આતા ધીરુભાઈ સાથે પાણીધરા ગામ થી હસમુખભાઈ ચુડાસમાની ખાસ ઉપસ્થિતિ રહી હતી જ્યારે ચુડાસમા પરિવારના સભ્યો પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભગવતી આઈ શ્રી  ખોડિયારના ગુણ ગાન ગાયા હતા

જ્યારે આ તકે આહીર સમાજના સભ્ય નાગજણ ભાઈ પીઠીયા પણ ઉપસ્થિતરહ્યા  હતા અને જણાવ્યું હતું કે ચર ગામની અંદર મુસ્લિમ બિરાદરો પણ રહે છે અને ભાઈચારાની એકતા સાથે મળીને  અમે લોકો બધા પ્રસંગોની ઉજવણી કરીએ છીએ તેમજ આજે બધા સાથે મળીને ભગવતી આઈ શ્રી ખોડિયારના ગુણ ગાન ગાયા હતા થોડા સમય પહેલા ગામના મુસ્લિમ બાપાનું અવસાન થતાં તેમના ઘરે ગૌશાળાની ધૂનનુ આયોજન કરવામાં આવ્યું હતું અને જેમનું આયોજન તાલુકા પંચાયતના સદસ્ય મનીષભાઈ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું

Related posts

सौराष्ट्र और गांवों में पाटीदार बीजेपी से छिटके

aapnugujarat

ડિઝીટલ સેવાસેતુ હેઠળ ભાવનગરના ૧૦ તાલુકાના ૧૦૪ ગ્રામ્ય વિસ્તારનો કરાયેલો સમાવેશ

editor

विदेशी मुद्रा भंडार 44.6 करोड़ डॉलर घटकर 428.6 अरब डॉलर पर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1