માળીયા હાટીના મુકામે પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે માળીયા હાટીના તાલુકાના હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજના આગેવાનોની ખાસ ઉપસ્થિતિ રહી હતી આ બેઠક ધધુકા માં થયેલી હિંદુ યુવક કિશન ભાઈની હત્યાને લઈ યોજવામાં આવી હતી. હાલ આ સરાજાહેર થયેલી હત્યાને લઈને ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે માળીયા હાટીના તાલુકા માં શાંતિ અને સુલેહ ભર્યું વાતાવરણ બની રહે તેમજ કોઈ અનિચનીય ઘટના ન બને તેમજ શાંતિનો માહોલ બની રહે તે માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
ત્યારે માળીયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે મળેલી બેઠક માં હિન્દૂ સમાજ ના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો નિ ઉપસ્થિતિ રહી હતી,માળીયા હાટીના ખાતે યોજવામાં આવેલ શાંતિ સમિતિની બેઠકમાં માળીયા હાટીના શહેર સરપંચ જીતુભાઇ સીસોદીયા તેમજ હમીરસિંહ ભાઈ સીસોદીયા સાથે મુસ્લિમ સમાજ ના પ્રમુખ અમીનભાઈ તેમજ પટેલ સમાજના અગ્રણી ઠાકરશી ભાઈ જાવીયા પૂર્વ સરપંચ નાટવારસિંહ સીસોદીયા સાથે મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા