ધંધુકામાં 25 તારીખે ધોળા દિવસે બાઈક પર આવેલી બે વ્યક્તિએ જાહેરમાં કિશન ભરવાડ નામના યુવક પર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે.ધોરાજીમાં હિન્દુ સંગઠન અને ભરવાડ સમાજ દ્વારા રેલી કાઢી અને ધોરાજી ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ
.ધોરાજી અને જામકંડોરણાના હિન્દુ સંગઠનો અને ભરવાડ સમાજ દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેકટરને કિશન ભરવાડના હત્યારાને કડકમાં કડક સજાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ. આ હત્યા કેસમાં બે મૌલવીની ભૂમિકાઓ પર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.