ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
મુસ્લીમ સમાજના પરવરદિગાર એટલે નબીસાહેબ ત્યારે આજે જ્યારે નબીસાહેબનો જન્મ દિવસ હોય ત્યારે તેમના માનમાં લીંબડી સમગ્ર મુસ્લિમ બિરાદર દ્રારા ભવ્ય ડીજેના તાલે જુલુસ કાઢવામાં આવ્યું હતું ત્યારે આ જુલુસનો પ્રારંભ માતમ ચોક લીંબડી થી થયો હતો અને લીંબડીની મેઈન બજારમાં આ જુલુસ કાઢવામાં આવ્યું હતું ત્યારે આ જુલુસ ની પુર્ણાહુતી કાબા મસ્જિદ લીંબડી ખાતે કરવામાં આવશે ત્યારે આ જુલુસ દરમિયાન નિયાજ રૂપી ચોકલેટ બાળકોને આપવામાં આવી હતી અને આ જુલુસની આગેવાની સમગ્ર મુસ્લિમ સમાજ જમાતની આગેવાની હેઠળ કાઢવામાં આવ્યું હતું અને આ નબીસાહેબનુ જુલુસ શાંતિ પુર્વક નિકળ્યુ હતું અને આ સમયે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા લીંબડીની પ્રજા અને પોલીસનો હ્દય પુર્વક આભાર માન્યો હતો.