ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે જશને ઇદે મિલાદુન્નબી નિમિત્તે સુન્ની મુસ્લિમ સમાજનો પ્રથમ સમૂહ લગ્ન સમારોહ યોજાયો.જેમાં સાત યુગલો જોડાયાં હતાં ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ બકરી ઈદ મુબારકબાદી પાઠવી હતી.જેમાં મુખ્ય મહેમાન શ્રી કેબિનેટ મંત્રી વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.
સમારંભના પ્રમુખ તરીકે ખલીફા ચિરાઞે ગુજરાત પીરે તરીકત વીરાજી સાજીદ બાપુએ હાજરી આપી હતી.
ચુડા સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ સંચાલિત પ્રથમ સમૂહ લગ્ન સમારોહમાં અતિથિવિશેષ તરીકે મામલતદાર શ્રી ચુડા, ટીડીઓ સાહેબ તાલુકા પંચાયત, ચુડા,પી,એસ,આઇ સાહેબ ચુડા વગેરે હાજર રહ્યા હતા.
તેમજ સન્માનિત મહેમાનો ઈમ્તિયાઝભાઈ કોઠીયા ડીવાયએસપી અમદાવાદ, રિઝવાનભાઈ કોઠીયા ટીડીઓ માળીયા, ડોક્ટર સાહિસ્તાબેન જરગેલા એમ.બી.બી.એસ ચુડા, ડોક્ટર અલ્પેશભાઈ એસ જરગેલા એમબીબીએસ ચુડા વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં નવદંપતીઓએ આશીર્વાદ લીધા હતા.