Aapnu Gujarat
Uncategorized

મોરબીમાં પિતરાઈ ભાઈએ ભાઈની હત્યા કરી

મોરબીના લીલાપર રોડ ઉપર હોથીપીરની દરગાહ પાસે રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતાં ઈમરાનશા ઉમરશા શાહમદાર ( ઉ.વ.૨૫ )ને ગુરૂવારે મોડીરાત્રે મકરાણી વાસમાં રહેતા તેના જ કાકાના દીકરા સર્ફરાજ ફિરોઝશા શાહમદારે અચાનક જ ધસી આવીને પેટના ભાગે છરીના ઘા ઝીકી દેતા ગંભીર હાલતમાં ઇમરાન શાહમદારને ૧૦૮ મારફતે મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. છરીના ઘા ઝીકવાથી ગંભીર રીતે ઘાયલ ઇમરાન શાહમદારને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે જ અંતિમ શ્વાસ લેતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ ગંભીર બનાવ મામલે મોરબી સિટી એ ડિવીઝન પોલીસે ગુનો નોંધી હત્યારા પિતરાઈ ભાઈને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, મોરબીમાં છેલ્લા પંદર દિવસથી હત્યા જેવા ગુના અટક્યા છે. તેવામાં ગત મોડી રાત્રે હત્યાનો બનાવ બનતા એલસીબી, ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.મોરબીના લીલાપર રોડ ઉપર ગુરૂવારે મોડી રાત્રીના પિતરાઈ ભાઈએ છરીના ઘા ઝીકી ભાઈની હત્યાં કરી હતી. ત્યારે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Related posts

મુખ્યમંત્રી રૂપાણીએ સુરેન્દ્રનગરને આપી મોટી ભેટ

editor

વંચિતોના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે : રાદડિયા

editor

ઉત્તર ગુજરાતના મોટામા મોટા ૨૮૨ વણકર સમાજ પરગણાનો બહિષ્કાર

editor

Leave a Comment

UA-96247877-1