બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું આજે નિધન થયું છે.અક્ષયના માતા હીરાનંદા હોસ્પિટલમાં દાખલ હતા.તબિયત ગંભીર હોવાથી અક્ષય ભારત પરત ફર્યા હતા.આ અંગે અક્ષયે એક પોસ્ટ દ્વારા માહિતી આપી હતી.માતાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા પણ અક્ષયે કહ્યું હતું.ફેન્સ અને ચાહકો દ્વારા પણ ચિંતા વ્યકત કરતા અક્ષયે આભાર માન્યો હતો.તબિયત ગંભીર થતા આજે અરુણા ભાટિયાનું હોસ્પીટલમાં નિધન થયું હતું.આ અંગે જાણકારી અક્ષયે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ દ્વારા જાણકારી આપી હતી.ત્યારે આજે મુંબઈના વિલે પાર્લે સ્થિત સ્મશાનમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી.અંતિમ સંસ્કારમાં બોલીવુડના સેલેબ્સ આવ્યા હતા.
પાછલી પોસ્ટ