સુરેશ ત્રિવેદી, ભાવનગર
ભાવનગર અંધ ઉદ્યોગ શાળા ના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણી ના ધર્મ પત્ની નીલાબેન સોનાણી નું તાજેતરમાં કોરોના થી થયેલ દુઃખદ અવસાન નિમિત્તે અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવા તેમજ તેમના જીવન પર તૈયાર થયેલ પુસ્તિકા લાગણી નો દસ્તાવેજ અનુભવ નો ઉજાસ અને બીટસ્ ઓફ લાઈફ ના વિમોચન પ્રસંગે ભાવનગર સ્ટેટના રાજવી યુવરાજ સાહેબ શ્રી જયવીરરાજસિંહજી ગોહિલ તથા જશુભાઈ કવિ તથા હરીશભાઇ મહુવાકર ઉપસ્થિત રહેશે .પુસ્તક વિમોચન અને પ્રકાશન સમિતિના ચેરમેન કિર્તીભાઈ એસ શાહ તથા કન્વીનર પંકજભાઈ ત્રિવેદીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા લોકોને અનુરોધ કર્યો છે