હિંમતનગરના મોતીપુરા કેનાલ પાસે નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યાં છે જેમાં કેનાલ પાસેના જુના મકાનો પાલિકા દ્વારા તોડી પાડતાં સ્થાનિક લોકોનો આસરો પણ છીનવાઈ ગયો છે, સ્થાનિકો જણાવી રહ્યાં છે કે, હાલમાં મોતીપુરા કેનાલ વિસ્તાર જમીન બાબતે કોટૅમાં કેસ ચાલે છે ત્યારે હિંમતનગર નગરપાલિકા દ્વારા અમને જાણ કર્યા વિના દબાણ દૂર કરાયું છે ત્યારે સ્થાનિક લોકો પણ મકાન વિહોણા થયા છે, વધુમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે હાલમાં કોરોના વાઈરસમાં સરકાર ઘરમાં રહેવાની સુચના આપે ત્યારે હાલ આ પરિસ્થિતિમાં અમારે ક્યાં રહેવું ક્યાં જવું તે જ મોટો પ્રશ્ન ઉદ્વભવી રહ્યો છે.
હિંમતનગર નગરપાલિકા પાલિકલના ચીફ ઓફિસર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે દબાણ દૂર કરવા બાબતે આ અગાઉ પાલિકા દ્વારા લેખિત જાણ કરવામાં આવી હતી, વધુમાં આ જગ્યા પર સરકાર દ્વારા રેનબસેરાની યોજના પાસ થયેલ છે જેને લઇ ગેરકાયદેસર દબાણો દૂર કરવા આવ્યા છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)
આગળની પોસ્ટ