દીગેશ કડિયા , સાબરકાંઠા
હિંમતનગરની સ્થાપના કરનાર હિંમતસિંહજી ઓફ ઇડર સ્ટેટની ૧૨૨ મી જન્મ જ્યંતી નિમિત્તે હિંમતનગર નગરપાલિકા અને રાજવી પરિવાર દ્વારા શહેરમાં ન્યાય મંદિર ખાતે સ્થાપિત હિંમતસિંહજી ની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા હિંમતનગર નગરપાલિકા પાલિકા પ્રમુખ યતીનબેન મોદી, ઉપપ્રમુખ અમૃતભાઈ રાજપુરોહિત, કારોબારી ચેરમેન સાવન ભાઈ દેસાઈ, ચીફ ઓફિસર યશપાલ સિંહ વાઘેલા તેમજ હિંમતનગર નગરપાલિકાના સદસ્યોં અને રાજવી પરિવાર ચાલુ વરસાદ વચ્ચે પણ હિંમતસિંહજીની જન્મ જયંતી નિમિત્તે તેમની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા..