ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ
સુરેન્દ્રનગર અનુસુચિત જાતિ કલ્યાણના નાયબ નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા હસ્તકના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સરકારી કુમાર/કન્યા છાત્રાલયમાં ચાલું શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ માટે https://esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર તા.૩૧/૮/૨૦૨૧ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે
આ છાત્રાલયમાં ધોરણ-૧૧-૧૨, આઇ.ટી.આઇ., સ્નાતક, અનુસ્નાતક, મેડીકલ તથા એન્જીનીયરીંગના વિદ્યાર્થીને મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. છાત્રાલયમાં રહેવા, જમવા તથા બેડીંગની સુવિધા વિનામુલ્યે આપવામાં આવશે. સરકારી કુમાર છાત્રાલય, લીંબડી ખાતે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા સા.શૈ.પ.વ. ( બક્ષીપંચ )ના વિદ્યાર્થીને પણ પ્રવેશ આપવામાં આવશે.
વિગતવાર માહિતી તથા છાત્રાલયોના નામ સરનામાં તેમજ નિયમોની અન્ય વધુ વિગત પોર્ટલ પરથી જાણી શકાશે. પ્રવેશ મળ્યેથી છાત્રાલય ખાતે કોવિડ -૧૯ ની એસ.ઓ.પી.નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સરકારશ્રીની કોવિડ -૧૯ ની સુચનાઓ ધ્યાને લઇ છાત્રાલયમાં પ્રવેશ આપવામાં આવશે તેમ વધુમાં જણાવાયું છે.