સુરેશ ત્રિવેદી, ભાવનગર
ભાવનગરના ત્રણ ઝોન જેમકે, તખતેશ્વર ઝોન, ગૌરીશંકર ઝોન, અને રુવાપરી ઝોન પૈકી રુવાપરી ઝોનમાં તારીખ 30 જુલાઈ 2021 અને શુક્રવારના રોજ સાંજે ૬-૦૦ કલાકે ઓમ પ્લાઝા હોલ ખાતે સફાઈ કામદાર, પોલીસ, ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, 108 અને એમ્બ્યુલન્સ સ્ટાફ તેમજ સન્માન પૂર્વક મૃતકોના અગ્નિસંસ્કાર સેવાકાર્ય કરનાર કોરોના યોદ્ધાઓનું સન્માન કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં ભાજપના ભાવનગર શહેરના અધ્યક્ષ શ્રી રાજીવભાઈ પંડ્યા, મહામંત્રી શ્રી યોગેશભાઈ બદાણી, ભાવનગર શહેરના મેયર શ્રી કીર્તિબેન દાણીધરીયા, ડેપ્યુટી મેયર શ્રી કુમારભાઈ શાહ સહિત શહેર સંગઠનના આગેવાનો, તમામ વોર્ડના પ્રમુખો અને વોર્ડ સંગઠન અને વિવિધ સેલ- મોરચાના આગેવાનો ઉપસ્થિત રહેલ.
આગામી 31 જુલાઈના રોજ તખતેશ્વર ઝોનમાં ખોડિયાર હોલ, કાળિયા બીડ ખાતે તેમજ 1 ઓગષ્ટના રોજ ગૌરીશંકર ઝોનમાં બોરતળાવ, થાપનાથ મહાદેવ ખાતે, કોરોના વોરિયર્સનું સન્માન કાર્યક્રમ યોજાનાર છે. જેમાં ભાવનગર શહેર મહામંત્રી શ્રી ડી. બી. ચુડાસમા અને શ્રી અરુણભાઈ પટેલ માર્ગદર્શન આપનાર છે. અને સમગ્ર શહેર સંગઠન તેમજ ચૂંટાયેલા પદાધિકરીઓ, વોર્ડ સંગઠન, અને વરિષ્ઠ આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહેનાર છે.
ત્યારે સમગ્ર ત્રિદિવસીય કાર્યક્રમને સુચારુ રૂપે સફળ કરવા માટે ભાવનગર શહેર ભાજપના યુવા મોરચાના પ્રમુખ શ્રી મુકેશભાઈ ડાભી, મહામંત્રી શ્રી કિશનભાઈ મહેતા, શ્રી ભવદીપસિંહ ગોહિલ તેમજ યુવા મોરચાની સમગ્ર ટીમે જહેમત ઉપાડેલ.તેમ ભાવનગર મહાનગરના મીડીયા કન્વીનર હરેશભાઈ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોશી તેમજ પ્રવક્તા આશુતોષભાઈ વ્યાસની યાદીમાં જણાવાયું હતું.