Aapnu Gujarat
ગુજરાત

અસારવા ખાતે પોસ્ટલ અને આર એમ એસનું છઠું અધિવેશન યોજાયું

પ્રવિણ વેગડા, અમદાવાદ

ખડુંભાઇ દેસાઇ હોલ અસારવા અમદાવાદ-16 ખાતે ઓલ ઇન્ડિયા પોસ્ટલ એસ સી / એસ ટી એમ્પ્લોઇઝ વેલફેર એસોસિએશન ગુજરાત સર્કલનું પોસ્ટલ અને આર એમ એસ નું 6ઠું અધિવેશન યોજાઈ ગયું.આ કાર્યક્રમ માં રાષ્ટ્રીય પ્રમુખ અને સર્કલ સેક્રેટરી ગુજરાત
શ્રી ચિરાગ રાજવંશ ની ઉપસ્થીતી માં અને સેક્રેટરી જનરલ દિલ્હી CHQ શ્રી એમ કે આહીરવાર ના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયું.તેમાં પોસ્ટલ વિભાગમાં કામ કરતા દરેક કેડર ના કર્મચારીઓને થતા વહીવટી અન્યાય બાબતે…ચર્ચા થઈ અને આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવી અને અન્યાય દૂર થાય એવી કાર્યવાહી પદાધિકારીઓ એ કરવી એવું ઠરાવવામાં આવ્યુ. એસોસિયેશન ની છઠ્ઠી ગુજરાત સર્કલ કોન્ફરન્સ અને ડિવિઝન કોન્ફરન્સ આનંદમય રહી અને સર્કલ ડિવિઝન ની નવી કારોબારી સમિતિ બની જેમાં શ્રી ડી કે ચાવડા સર્કલ પ્રમુખ શ્રી બી પી વાઘેલા સર્કલ સેક્રેટરી શ્રી એચ એન અસારી સર્કલ ટ્રેજર અને ડિવિઝન માં શ્રી અજયભાઈ મકવાણા ડિવિઝન પ્રમુખ શ્રી બી પી પરમાર ડિવિઝન સેક્રેટરી શ્રી એમ એલ મકવાણા ડિવિઝન ટ્રેજર તરીકે વરણી થયેલ છે.આપ સર્વે નો દિલ થી ખૂબ ખૂબ આભાર અને આવો સાથ અને સહકાર મળતો રહે તેવી આશા સાથે બી. પી વાઘેલા ઓલ ઇન્ડિયા પોસ્ટલ એસી એસટી વેલ્ફર એસોસિયેશન ગુજરાત સર્કલ જય ભીમતથા યુનિયન ની પ્રગતિ માટે સદાય તત્પર રહેતા શ્રી આર એમ શ્રીમાળી અને અન્ય નામી આગેવાનો દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવવા અંતર્ગત હાજર રહેલા હતા

Related posts

સસ્પેન્સનો અંત : શંકરસિંહ જન વિકલ્પ મોરચામાં જોડાયા

aapnugujarat

નડિયાદમાં પોલીસે ગ્રાહક બની બાળક વેપારના નેટવર્કનો પર્દાફાશ કર્યો

editor

રાજયમાં આગામી સમયમાં ૧૦ કરોડ વૃક્ષનું વાવેતર થશે : મુખ્યમંત્રી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1