વરસાદે દેશભરમાં તબાહી મચાવી છે.ઠેર-ઠેર વરસાદી આપત્તિ સર્જાઈ છે ત્યારે મહારાષ્ટ્રમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે.મહારાષ્ટ્રના પુણે જેવા મુખ્ય શહેરો તેમજ અમરાવતી, સતારા, કોલ્હાપુર અને રત્નાગીરીમાં પુર અને વરસાદને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે.NDRF થી કોસ્ટગાર્ડ સુધીની ટીમો મહારાષ્ટ્ર ના ઘણા જીલ્લામાં બચાવ કાર્યમાં લાગી ગઈ છે.સતત ભારે વરસાદને કારણે આ કામગીરી એક મોટો પડકાર બની ગયો છે.મહારાષ્ટ્રમાં પુરને કારણે મૃત્યુઆંક ૨૧૯ પર પહોચી ગયો છે.કોલ્હાપુરમાં પણ પુરને કારણે ભારે વિનાશ સર્જાયો હતો. પંચગંગા નદીના કિનારે બે લાખ લોકો ને એનડીઆરએફ દ્વારા સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘરના નામે ફક્ત કાટમાળ જોવા મળી રહ્યા છે.
પાછલી પોસ્ટ