IPL 2022, GT vs RR: ગુરુવારે ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી IPL મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમની 37 રનથી હાર બાદ તેની રણનીતિ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 192 રન બનાવ્યા હતા અને રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
અશ્વિનને નંબર 3 પર મોકલવા પર ઉઠ્યા પ્રશ્નો
જ્યારે રાજસ્થાન રોયલ્સની ટીમ ટાર્ગેટનો પીછો કરવા ઉતરી ત્યારે તેણે 28 રનના સ્કોર પર પોતાની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. રાજસ્થાન રોયલ્સે આર અશ્વિનને નંબર 3 પર ઉતારી દીધો કે તરત જ દેવદત્ત પડિક્કલ શૂન્ય પર આઉટ થયો. રાજસ્થાન રોયલ્સની ટીમમાં ઘણા વિસ્ફોટક બેટ્સમેન છે, પરંતુ તેમ છતાં તેણે આર અશ્વિનને 3મા નંબરે ઉતારી દીધો છે. હવે હાર બાદ રાજસ્થાન રોયલ્સની રણનીતિ પર સવાલો ઉઠી રહ્યા છે.
અશ્વિન ત્રીજા નંબરે ફ્લોપ રહ્યો
રાજસ્થાન રોયલ્સે આર અશ્વિનને નંબર 3 પર બેટિંગ કરવા મોકલ્યો હતો, પરંતુ તે માત્ર 8 બોલમાં 8 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તેના નંબર 3 પર આવવાથી ટીમનું લક્ષ્ય હાંસલ કરવાનું સમીકરણ બગાડ્યું, જે તેમની હારનું મુખ્ય કારણ માનવામાં આવે છે.
સંજુ સેમસને સ્પષ્ટતા કરવી પડી
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને અશ્વિનને ત્રીજા નંબર પર મોકલવાનું કારણ જણાવ્યું. સેમસનનું માનવું છે કે અશ્વિનને ત્રીજા નંબર પર ઉતારવાની યોજના હરાજીના સમયે જ બનાવવામાં આવી હતી. સંજુ સેમસને કહ્યું, ‘હું છેલ્લા કેટલાક વર્ષોથી નંબર 3 પર બેટિંગ કરી રહ્યો હતો, પરંતુ ટીમ માટે હું 4 અને 5 નંબર પર પણ બેટિંગ કરવા તૈયાર છું. અશ્વિન જેવો ખેલાડી અમને તે કરવા દે છે. દેવદત્ત પડિકલે પ્રથમ ત્રણ મેચમાં ત્રીજા નંબરે બેટિંગ કરી હતી. અમે હરાજીના સમયથી જ અશ્વિન અથવા દેવદત્તને ત્રીજા નંબર પર બેટિંગ માટે મોકલવાની યોજના બનાવી હતી.