સુરેશ ત્રિવેદી, ભાવનગર
ભાવનગર શહેરના જાણીતા ઉદ્યોગ પતિ તેમજ જાગ્રત નાગરિક શ્રી નીશિથભાઈ મહેતા તથા આઈ. સી. ડી. એસ. નાં પ્રોગ્રામ ઓફિસર શ્રી સાવિત્રી બહેન નાથજી ની ઉપસ્થિતિમાં શહેરની 25 આંગણવાડીના કાર્યકરોને મોન્ટેસરી તાલીમ અને ચાર્ટ નું વિતરણ કરવામાં આવ્યું …
શ્રીમતી શૈલાબેન પ્રફુલચંદ્ર સૂચક ના સહયોગથી શિશુવિહાર પ્રાંગણમાં યોજાયેલ તાલીમ અને સાધન સહાય કાર્યક્રમ માં બાળ કેળવણી કાર શ્રી ઝીણારામભાઈ એ શિક્ષકો ને પ્રેરક માર્ગદર્શન આપ્યું..
શિશુવિહાર બાલમંદિરના શિક્ષકશ્રી પ્રીતિબેન ભટ્ટ , શ્રી અંકિતાબેન ભટ્ટ અને સહાયક શિક્ષકો દ્વારા અપાયેલ તાલીમ અને વનભોજન થી લાભાન્વિત આંગણવાડી કાર્યકર્તાઓને જીવન શિક્ષણ આપ્યું હતુ….આ કાર્યક્રમ નું સંકલન શિશુવિહાર સંસ્થા ના ચીફ કોર્ડીનેટર શ્રી હીનાબેન ભટ્ટે સંભાળ્યું હતું…..