અમદાવાદ શહેરમાં લોકડાઉન દરમિયાન ઉત્કૃષ્ટ સમાજસેવા કરવા બદલ ઈદે મિલાદુન્નબી સેન્ટ્રલ કમિટી દ્વારા સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરી નું સન્માન કરવામાં આવ્યું હતું. રાયખડના સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીએ લોકડાઉન દરમિયાન ગરીબો અને જરૂરિયાતમંદોને અનાજનુંવિતરણ,રાશનકીટનું વિતરણ, જરૂર પડે ત્યાં રોકડ સહાય ઉપરાંત તમામ શેરી, મહોલ્લા, પોળ, સોસાયટીમાં ઘરે ઘર તથા જમાલપુર ,રાયખડ, ખાનપુર, મિરઝાપુર વિસ્તારની તમામ લઘુમતી શાળાઓમાં જઈ ઉકાળાનું અને રોગપ્રતિકારક શક્તિ વધે તેવી આયુર્વેદિક અને હોમિયોપેથી દવાઓનું વિતરણ, મેડિકલ કેમ્પ જેવી સેવાઓ આપી હતી. ઉપરાંત કોરોનાના દર્દીઓ માટે એમ્બ્યુલન્સની તથા કોરોનાથી મોતને ભેટેલા લોકો માટે શબવાહિનીની વ્યવસ્થા કરી આપી હતી.
આથી આ સેવાથી પ્રભાવિત થઈ ઈદે મિલાદુન્નબી સેન્ટ્રલ કમિટીના ચેરમેન રફીક નગરી વાલા, સભ્યો ફૈયાઝખાન પઠાણ, ઈકબાલભાઈ બેલીમ, જાવેદ સાકીવાલા, સિરાજ ભાઈ શેખ,ઈમ્તિયાઝ શેખ, શાંતિ સમિતિના સભ્યો તથા હઝરત સૈયદ અશ્કરીમિયા કાદરી(રહે.) મસ્જિદ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઝફર કાદરી, યાસીન મિયાં મસ્જિદના ટ્રસ્ટી મુહમ્મદભાઈ ઉપરાંત ઈલ્યાસ શેખ, રબ્બાની શેખ, પીરુભાઈ, આસિફભાઈ, મોહસીન કાદરી, બિલાલ લુહાર આમિર શેખ હાસીમ શેખ, મોહસીન મનસુરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને તેમની કામગીરીને બિરદાવી હતી.
(તસવીર / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)