Aapnu Gujarat
ગુજરાત

વઢવાણમા મધ્‍યાહન ભોજન યોજનાના કેન્‍દ્ર માટે સંચાલક કમ કૂકની નિમણૂંક કરાશે

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

વઢવાણ મામલતદારશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્‍યા પ્રમાણે વઢવાણ તાલુકામાં નગરપાલિકા શાળા નં.૧૧-જોરાવરનગર, નગરપાલિકા શાળા નં.૧૫-સુરેન્દ્રનગર, નગરપાલિકા શાળા નં.૧૬-સુરેન્દ્રનગર, વઢવાણ તાલુકા શાળા નં.૫, દુધરેજ શાળા નં.૫ તથા ભડીયાદ,વસ્તડી અને વડોદ પ્રાથમિક શાળા ખાતે મધ્‍યાહન ભોજન યોજના કેન્‍દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કૂકની નિમણૂંક કરવાની થતી હોય, આ જગ્‍યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્‍છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, વઢવાણ ખાતેથી કચેરીના કામકાજના દિવસોમાં રૂબરૂ મેળવી અને સંપૂર્ણ વિગત ભરી જરૂરી આધારોની નકલ સાથે આગામી તા.૧૫/૦૭/૨૦૨૧ સુધીમાં મામલતદાર કચેરી- વઢવાણ ખાતે જાહેર રજાના દિવસો સિવાય પરત કરવાની રહેશે.

Related posts

રેલી કરી હાર્દિકે, ખર્ચ ગણાયો કોંગ્રેસના ઉમેદવારોના ખાતામાં ! : સુરત ચૂંટણી તંત્રનું ૫ગલુ

aapnugujarat

કાંઠાના વિસ્તારોમાં તબીબી સેવા ઉપલબ્ધ બનાવવા માંગ

aapnugujarat

ચાણકયપુરી વિસ્તારમાં કોલેજિયન યુવક ડ્રાઇવરની બેદરકારીથી કચડાઈ ગયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1