Aapnu Gujarat
ગુજરાત

પાવાગઢનું મહાકાળી મંદિર ૧ જૂન સુધી બંધ રખાશે

કોરોનાની મહામારીને લઈ સંક્રમણ વધુ ન ફેલાય માટે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી ૨૮મી એપ્રિલ સુધી મંદિર બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી. હાલ કોરોના સંક્રમણની ગંભીરતાને ધ્યાનમાં લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર વધુ ૬ દિવસ એટલે તા. ૧લી જૂન સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. પાવાગઢ યાત્રાધામ ૫૧ શક્તિપીઠ પૈકીનું એક યાત્રાધામ છે. પાવાગઢ મંદિર સાથે અસંખ્ય ભક્તોની આસ્થા જોડાયેલી છે. વર્ષે ૮થી ૧૦ લાખ જેટલા યાત્રાળુઓ પાવાગઢ આવતા જતા હોય છે. પાવાગઢ આવતા યાત્રાળુઓને લઈ પાવાગાઢ તળેટી માચી સહિત ડુંગર પર વસતા એક હજાર કરતા વધુ પરિવારો પાવાગઢમાં નાના મોટા રોજગાર મેળવી પોતાનું ગુજરાન ચલાવે છે. પાવાગઢ મંદિર નવરાત્રી શરૂ થાય તે પહેલાથી મંદિર બંધ કરવાની ફરજ પડતા સ્થાનિક વેપારીઓની હાલત કફોડી બની છે. કોરોનાના સંક્રમણને લઈ સર્જાયેલ પરિસ્થિતિને કારણે મંદિર ટ્રસ્ટે વધુ ૬ દિવસ તા.૧લી જૂન ૨૦૨૧ સુધી મંદિર બંધ રાખવાની જાહેરાતના પગલે ભક્તો સહિત વેપારીઓમાં નિરાશા છવાઈ ગઈ છે.

Related posts

મરાઠાની જેમ અનામત નહી અપાય તો આંદોલન ઉગ્ર થશે

aapnugujarat

નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી નિનામાના અધ્યક્ષપદે ઇલેક્ટ્રોનિક મિડીયા મોનીટરીંગ સેન્ટર (EMMC) ની રચના : સભ્યોને કામગીરી સંદર્ભે અપાયેલું માર્ગદર્શન

aapnugujarat

જૂનાગઢના ભેંસાણમાં ભાઈએ ભાઈને પતાવી દીધો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1