Aapnu Gujarat
ગુજરાત

મરાઠાની જેમ અનામત નહી અપાય તો આંદોલન ઉગ્ર થશે

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત જાહેર કરાતાં હવે એ જ લાઇન પર ગુજરાતમાં પણ પાટીદારો માટે અનામતની જાહેરાત કરવા સરકાર સમક્ષ ઉગ્ર માંગણી કરી છે. હાર્દિકે મરાઠા અનામતને આધાર બનાવી ગુજરાત સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે અને ચીમકી આપી છે કે, મહારાષ્ટ્રમાં જેમ મરાઠા સમાજનો સર્વે કરવામાં આવ્યો તેમ ગુજરાતમાં પાટીદાર સમાજનો સર્વે કરાવી અનામત નહીં આપે તો આંદોલન ઉગ્ર બનશે. હાર્દિકના હુંકાર બાદ અન્ય પાટીદાર આગેવાન અને સમાજના લોકો પણ તેના સમર્થનમાં ઉતર્યા હતા. ઓબીસી કમિશને મરાઠાઓનો સામાજિક અને આર્થિક સર્વે કર્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે મરાઠા અનામત આપવાની જાહેરાત કરી હતી. જેને પગલે હાર્દિકે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાટીદાર અનામત બંધારણીય રીતે શક્ય નથી તો પછી મહારાષ્ટ્રમાં કેવી રીતે શક્ય થયું? ગઈકાલે ઓબીસી કમિશન દ્વારા મરાઠા સમાજનો સામાજિક અને આર્થિક રીતે જે સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી કે મરાઠા સમાજને અનામત આપવામાં આવશે. હાર્દિકે તેને લઈને સમગ્ર મામલે પોતાના સમાજને ત્રણ મુદ્દામાં સવાલો કર્યા છે. પહેલા મુદ્દામાં હાર્દિકે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર, ગુજરાતમાં ભાજપની સરકાર, કેન્દ્રમાં ભાજપની સરકાર. મહારાષ્ટ્ર રાજ્યના પછાત વર્ગના પંચે પોતાના રિપોર્ટમાં મરાઠાઓને રાજ્યમાં પછાત હોવાનો સ્વીકાર કર્યો છે. આ રિપોર્ટ દ્વારા મરાઠા સમુદાયને અનામત મળવાનો માર્ગ સાફ થઈ ગયો છે. જ્યારે ગુજરાતમાં પાટીદારોને અનામત માટે એમ કહેવાય છે કે બંધારણીય રીતે શક્ય નથી. જો ગુજરાતમાં બંધારણીય રીતે શક્ય નથી તો પછી મહારાષ્ટ્રમાં કેવી રીતે શક્ય થયું ? બીજો મુદ્દો હાર્દિકે ઉઠાવ્યો છે કે, મહારાષ્ટ્રમાં કેવી રીતે મરાઠાઓને મળશે અનામત ? મહારાષ્ટ્ર રાજ્યના પછાત વર્ગના પંચે પોતાના રિપોર્ટમાં મરાઠાઓને રાજ્યમાં પછાત હોવાનો સ્વીકાર કર્યો છે. આ રિપોર્ટને આધારે મહારાષ્ટ્ર સરકારના મરાઠા સમુદાયને અનામત આપવા માટે બિલ લાવશે અને વિધાનસભામાં કાયદો પસાર કરાવશે. જો કોઈ આ કાયદાને કોર્ટમાં પડકારશે. તો તેઓ આ રિપોર્ટને કોર્ટમાં રજૂ કરશે. હવે તમે જ વિચારો ગુજરાતમાં પાટીદારો માટે આ જ વસ્તુ કરતા ભાજપને શું પેટમાં દુઃખતુ હશે? અને ત્રીજા મુદ્દામાં મહારાષ્ટ્રમાં કેવી રીતે મરાઠાઓને મળશે અનામત ? એમ કહી સરકારને સવાલ કર્યો છે. જે મુજબ, મહારાષ્ટ્ર રાજ્યના પછાત વર્ગના પંચે પોતાના રિપોર્ટમાં મરાઠાઓને રાજ્યમાં પછાત હોવાનો સ્વીકાર કર્યો છે. રિપોર્ટની સૌથી મહત્વની ભલામણ છે કે મરાઠાઓને હાલના ઓબીસી માટેના ૨૭ ટકાના કવોટાને વધારીને અનામત આપી શકાય છે. અનામતની પચાસ ટકાની મર્યાદા સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવી છે. પંચના સૂત્રોનું કહેવું છે કે, તેમણે સરકારને એમ નથી કહ્યું કે મરાઠાઓને કેટલું અનામત આપવું જોઇએ. કવોટા ફિક્સ કરવો સરકારનો વિશેષાધિકાર છે. મહારાષ્ટ્રની ભાજપ સરકારે સ્વીકાર્યુ કે મરાઠાઓને હાલના ઓબીસી માટેના ૨૭ ટકાના કવોટાને વધારીને અનામત આપી શકાય છે. તો પછી ગુજરાત સરકારને પાટીદાર સમાજને અનામત આપવામાં શું વાંધો પડે છે. ગુજરાતની ભાજપ સરકાર જો પાટીદાર સમાજનો સર્વે નહીં કરાવે અને પાટીદાર સમાજને અનામત નહીં આપે તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર પકડશે અને તેની તમામ જવાબદારી સરકારની રહેશે.

Related posts

અમદાવાદમાં ચમકી યોગીની હિન્દુ વાહિની

aapnugujarat

પ્રાથમિક શિક્ષકોની બદલી ને લઈને સરકારે નવા નિયમો જાહેર કર્યા બાદ શિક્ષકોની બદલીના પરિપત્રો અટવાયા

aapnugujarat

ટેકાના ભાવે ૧૧૮૯ કરોડની મગફળીની ખરીદી થઈ ચુકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1