સાબરકાંઠાથી અમારા સંવાદદાતા દીગેશ કડિયા જણાવે છે કે,ડૉકટસૅ તથા નર્સિંગ સ્ટાફની છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓ ને લઈને હડતાલ પર છે ત્યારે વર્ગ-૨ ના તબીબી અધિકારીઓ પણ હડતાળ પર ઉતર્યા છે. ફિક્સ પગારની અસમાનતા, ઇન્સેન્ટીવ અને કેન્દ્રીય ધોરણે N.P.A આપવાની માંગ સહીત પડતર માંગણીઓ સાથે હડતાળ નું શસ્ત્ર ઉગામ્યું છે. ત્યારે SDH, CHC અને PHC સેન્ટરમાં કામ કરતા ડોક્ટરોએ રાજીનામા આપ્યા હતા.આરોગ્ય કમિશ્નરે હડતાલ અયોગ્ય ઠેરવી એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.જિલ્લા કલેકટરે તમામ ડોક્ટરને એક દિવસમાં હાજર થવા નોટીસ આપી હતી. આ આદેશને દમનકારી પગલુ ગણાવી જિલ્લાના તમામા તાલુકાઓના આરોગ્ય સેન્ટરો પર કામ કરતા વર્ગ – 2 ના ડોક્ટરોએ રાજીનામાં આપ્યા હતા. જિલ્લાના 25 માંથી 1૯ ડોક્ટરોએ રાજીનામા આપ્યા.હડતાળ અને હવે રાજીનામાં થી આરોગ્ય સેવાઓને ઘણી અસર પડશે.