નસવાડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ મોહનભાઇ વેચલાભાઇ તડવી ૧૦ દિવસ પહેલા સંખેડા તરફ આવતા ઇન્દ્રાલ પુલ પાસે કોઇ કારણોસર પડી જતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં જ્યાં વધુ સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. એએસઆઈ આજે નોકરી પૂર્ણ કરી રિટાયર્ડ થવાના હોય તેમનું મૃત્યુ નિવૃત્તિ દિવસના એક દિવસ પેહલા થતા પોલીસ વિભાગમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. મોહનભાઈના મૃત્યુને લઇ જિલ્લા પોલીસ વડા એમ.એસ.ભાભોર અને નસવાડી પી.એસ.આઇ. જી.બી ભરવાડે તત્કાલ અંતિમ વિધિ માટેના સરકાર દ્વારા અપાયેલ ૨૫૦૦૦ રૂપિયા તત્કાલ ચૂકવ્યા છે. આ પોલીસ કર્મચારીને દવાખાનામાં સારવાર માટેનાં નસવાડી પોલીસ સ્ટેશન પોલીસ કર્મીઓ ૫૪૦૦૦ રૂપિયાની આર્થિક મદદ કરી હતી. પોલીસ દ્વારા તેમના માનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)
પાછલી પોસ્ટ