Aapnu Gujarat
ગુજરાત

દિયોદરના નવા ખાતે વીર જવાનોને શ્રધ્ધાંજલિ અપાઈ

તાજેતરમાં ચીન દ્વારા ભારતના આર્મી જવાનો પર એકાએક હુમલો કરવામાં આવેલ જેમાં ભારતના ૨૦ જેટલા આર્મી જવાનો આ હુમલામાં શહીદ થયા છે ત્યારે દેશમાં ચીન સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે, ઠેરઠેર જગ્યાએ ચીની રાષ્ટ્રપતિના પૂતળા દહન કરવામાં આવી રહ્યાં છે તેમજ ચીની વસ્તુનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. આજે દિયોદરના નવા ખાતે વીર જવાનો શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવામા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.ચીનની કોઈ પણ વસ્તુનો ઉપયોગ ન કરવા સંકલ્પ લીધા હતા. આ પ્રસંગે લાયન્સ ક્લબના પ્રમુખ નરેશભાઈ, ઉપપ્રમુખ જામાભાઈ પટેલ, ખજાનચી મહેશભાઈ, પ્રદીપભાઈ શાહ, મલાભાઇ (દેસાઈ ) પટેલ, નરસંગભાઈ સહિત ગામના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

મોદી-શાહનો વિજય ઉત્સવ ખુબ સાદગીપૂર્ણ મનાવાયો

aapnugujarat

‘આર્ષ’ અક્ષરધામ, પ્રવચનમાળા અંતર્ગત ‘પર્યાવરણની રક્ષા – આપણી સુરક્ષા’ વિષય ઉપર ૯૧મું પ્રવચન યોજાયું

editor

દેશને લૂંટનાર કોઇને છોડવામાં આવશે નહીં : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1