તાજેતરમાં ચીન દ્વારા ભારતના આર્મી જવાનો પર એકાએક હુમલો કરવામાં આવેલ જેમાં ભારતના ૨૦ જેટલા આર્મી જવાનો આ હુમલામાં શહીદ થયા છે ત્યારે દેશમાં ચીન સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે, ઠેરઠેર જગ્યાએ ચીની રાષ્ટ્રપતિના પૂતળા દહન કરવામાં આવી રહ્યાં છે તેમજ ચીની વસ્તુનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. આજે દિયોદરના નવા ખાતે વીર જવાનો શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવામા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.ચીનની કોઈ પણ વસ્તુનો ઉપયોગ ન કરવા સંકલ્પ લીધા હતા. આ પ્રસંગે લાયન્સ ક્લબના પ્રમુખ નરેશભાઈ, ઉપપ્રમુખ જામાભાઈ પટેલ, ખજાનચી મહેશભાઈ, પ્રદીપભાઈ શાહ, મલાભાઇ (દેસાઈ ) પટેલ, નરસંગભાઈ સહિત ગામના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)