કોરોના મહામારીમાં લોકસેવાર્થે જનમાનસ વચ્ચે કોરોના પોઝીટીવ દર્દીઓ વચ્ચે રહી ડોક્ટર અને એમની ટીમની લડતથી અન્ય જિલ્લાની સરખામણીમાં સાબરકાંઠા જિલ્લાની રિકવરી રેટમાં વધારો કરી દર્દીઓના મુખ પર પ્રસન્નતા લહેરાવા બદલ ‘આવો કોઈની મદદ કરીએ’ ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મહાકાલસેના ગુજરાતના મહામંત્રી ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત, સરપંચ એસો.ના પ્રમુખ બ્રિજેશ પટેલ, નવા ગામ પંચાયત સરપંચ મૌનિશસિંહ ચૌહાણ, ગૌસ્વામી સમાજના પ્રમુખ જીતુ ગૌસ્વામી, પ્રજાપતિ સમાજના પ્રમુખ વી.કે. પ્રજાપતિ, ગણેશયુવક મંડળના પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત હતા.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)
આગળની પોસ્ટ