મહેસાણાથી અમારા સંવાદદાતા મહેશ આસોડીયા જણાવે છે કે, “મારૂ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન અંતર્ગત શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉંઝા તાલુકાના મક્તુપુર, ખેરાલુ તાલુકાના નાની હિરવાણી ગામે કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીઘી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ કોવિડ કેર સેન્ટરમાં અપાતી સુવિધાઓ તેમજ આરોગ્યની સવલતો બાબતે દર્દીઓ પુચ્છા કરી અવગત થયા હતા.
આ ઉપરાંત મક્તુપુર તેમજ નાની હિરવાણી ગામે કોવિડ કેર સેન્ટર સગવડો માટે આપેલ દાન બાબતે દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આરોગ્ય કર્મીઓ સહિત કોવિડ કેર સેન્ટરમાં સેવા સહિત ફરજ બજાવતા કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વેશ્રી ડો આશાબેન પટેલ, અજમલજી ઠાકોર, જિલ્લા કલેકટર એચ.કે.પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિષ્ણું પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત તાલુકા સ્તરના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.