Aapnu Gujarat
Uncategorized

ખીરસરા ગામની નદીમાં ઘોડાપુર

જેતપુરથી અમારા સંવાદદાતા જયેશ સરવૈયા જણાવે છે કે, જેતપુરથી વાડસડા જવાના રોડ પર આવેલ ભાદર નદીમાં ભારે વરસાદના કારણે ઘોડાપુર આવતાં આ રસ્તો હાલ બંધ કરવામાં આવ્યો છે. ખીરસરાથી વાડસડા જવાનો રસ્તો બંધ કરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નદી જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. સ્થાનિક લોકો દ્વારા ઘણાં સમયથી માંગણી કરવામાં આવી રહી છે કે, રસ્તાની જગ્યાએ પુલ બનાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ૨૪ કલાક દરમિયાન પડેલા વરસાદને કારણે ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Related posts

કલાકોમાં જુનાગઢ લૂંટ કેસને ઉકેલવામાં સફળતા મળી છે

aapnugujarat

જામનગરમાં ગુનાખોરી બેફામ : સામ-સામે ફાયરિંગથી ખળભળાટ

editor

અડવાણી રાષ્ટ્રપતિપદ માટે સૌથી યોગ્ય ઉમેદવારઃ શત્રુઘ્ન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1