Aapnu Gujarat
Uncategorized

ધ્રાંગધ્રાનુ હાર્દ સમાન માનસરોવર તળાવ ખાલીખમ

એક તરફ ઝાલાવાડમાં ખેડૂતો દ્વારા હાલ નર્મદાના નીર માટે સરકાર સામે બાયો ચડાવી છે તેવામાં સુરેન્દ્નનગર જિલ્લો ,ધ્રાંગધ્રા, મુળી અને વઢવાણ સહિતના તાલુકાના કુલ 20 જેટલા ગામોના ખેડૂતો તથા માલધારીઓ દ્વારા નર્મદાનુ પાણી મળી રહે તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે પરંતુ આ તરફ ધ્રાંગધ્રાના હાર્દ સમાન માનસરોવર તળાવમાં સુજલામ-સુફલામ યોજના અંતર્ગત લાખો રુપિયાના ખર્ચ  બાદ પણ આજે વષોઁથી તળાવ ખાલીખમ નજરે પડે છે.

જોકે સુજલામ-સુફલામ યોજના અંતર્ગત લાખો રુપિયાના ખર્ચ પાછળનો મુખ્ય હેતુ તળાવ ઉંડુ કરી પાણીનો સ્ત્રોત વધે જેના લીધે સ્થાનિક ખેડૂતોને વાવેતરમાં પાણીની તંગી સર્જાય  નહિ તે માટેનો હતો પરંતુ યેન-કેન પ્રકારે યોજનાની જવાબદારી પૂર્વક  કામગીરી નહિ થતા માનસરોવર તળાવમા પાણી લાવવા માટે કરાયેલ લાખ્ખોનો ખર્ચ અંતે પાણીમાં ગયો હોવાનુ નજરે પડી રહ્યુ છે.

Related posts

मौद्रिक नीति समीक्षा का ब्योरा जारी, धीमी आर्थिक वृद्धि को देखकर RBI ने घटाया था रेपो रेट

aapnugujarat

જાતિ તોડો…સમાજ જોડો…

aapnugujarat

સુરતમાં વધુ એક 5 વર્ષની બાળકી પીંખાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1