મહેસાણાથી અમારા સંવાદદાતા મહેશ આસોડીયા જણાવે છે કે,ગુજરાતમાં તૌકતે વાવાઝોડાનું સંકટ સતત વધી રહ્યું છે અને તોફાન આજે રાત્રે ગુજરાતને ટકરાય તેવી આશંકા છે. ત્યારે ગુજરાતના દરિયાકિનારા પર 25 વર્ષ બાદ 10 નં.નું સિગ્નલ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે વાવાઝોડાની અસર અને પવનની ગતિને ધ્યાનમાં રાખીને બંદરો પર આ પ્રકારના નંબરના સિગ્નલ આપવામાં આવ્યા છે ત્યારે ગુજરાતના દરિયા કિનારાના ગામેગામ ખાલી કરાવવામાં આવી રહ્યા છે ત્યારે મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા જાહેર જનતા ને ચેતવણી આપવામા આવી રહી છે કે આવનાર વાવાઝોડા સામે કેવી રીતે આપણુ રક્ષણ કરવુ તેની જીલ્લા પોલીસ લોકો ને નિચાણ વાળા વિસ્તાર મા રહેતા લોકોએ પોતાના હાલના રહેણાક સિવાય અન્ય જગ્યા એ રહેવાની તથા પોતાના પરિવાર નુ ખાસ દયાન રાખવુ તેવી મહેસાણા પોલીસ દ્વારા જાણ કરવામા આવેલ છે.