Aapnu Gujarat
ગુજરાત

યોજનાઓ માટે ફરજીયાત આધારકાર્ડ : ખેડૂતોમાં રોષ, સાબરકાંઠા અને મહેસાણાના ખેડૂતો દ્વારા રાજ્યપાલને રજુઆત

એક તરફ આધારકાર્ડના મામલે હજુ સુઘી સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હોવાછતાં વિવિધ સરકારી યોજનામાં ફરજીયાત૫ણે માગવામાં આવી રહેલા આધારકાર્ડને લઇને ખેડૂતોમાં રોષની લાગણી પ્રસરી ગઇ છે. સાબરકાંઠા અને મહેસાણાના ખેડૂતો દ્વારા આ મામલે રાજ્યપાલને આવેદન ૫ત્ર પાઠવીને રજુઆત કરાઇ છે.રાજ્યમાં વિવિધ યોજનાનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતો પાસે આધાર કાર્ડ ફરજીયાત માગવામાં આવતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આધાર કાર્ડને ફરજિયાત કરવુ કે નહી તે અંગે સુપ્રીમ કોર્ટમાં સુનવણી ચાલી રહી છે. તેમ છતા ખેડૂતો પાસે આધારકાર્ડ માગવામાં આવી રહ્યું છે. ત્યારે ભારે હાલાકીનો સામનો કરી રહેલા સાબરકાંઠા અને મહેસાણાના ખેડૂત અને વેપારીઓએ રાજ્યપાલને આવેદન પાઠવી રજૂઆત કરી છે. આવેદન બાદ વેપારીઓનું કહેવુ છે કે સરકાર આ મામલે કોઈ નક્કર પગલા ભરે અથવા સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન પ્રમાણે એક ગેજેટ બહાર પાડી ખેડૂતોની મૂશ્કેલી દૂર કરવી જોઇએ.

Related posts

જમાલપુર જગન્નાથ મંદિરમાં ભગવાનના રથની થયેલ પૂજા

aapnugujarat

રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ ભાવનગરના મહેમાન

editor

ધંધુકા તાલુકામાં પાણીની અછત સર્જાશે તો મે મહિના બાદ ટેન્કર દોડાવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1