Aapnu Gujarat
ગુજરાત

ધંધુકા તાલુકામાં પાણીની અછત સર્જાશે તો મે મહિના બાદ ટેન્કર દોડાવાશે

અમદાવાદ જિલ્લામાં પીવાના પાણીની સ્થિતિ સંતોષકારક છે અને તમામ વિસ્તારોમાં જરૂરિયાત મુજબનું નર્મદા આધારિત યોજનાનું પાણી મળી રહે છે. અત્યારે અમદાવાદ જિલ્લાના એકપણ ગામમાં ટેન્કરથી પાણી પૂરું પાડવાની જરૂરિયાત જણાઈ નથી, પરંતુ ધંધુકા તાલુકાના અસરગ્રસ્ત એવા રંગપુર અને સાલસરમાં હાલમાં પૂરતું પાણી ઉપલબ્ધ છે અને મે માસના અંત પછી જરૂર પડશે તો ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવશે. એમ અમદાવાદ જિલ્લાના અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠક બાદ અમદાવાદ જિલ્લા પ્રભારી સચિવ સુનયના તોમરે માહિતી આપી હતી.
વધુમાં તોમરે જણાવ્યું કે, અત્યારે અમદાવાદ જિલ્લાના એકપણ ગામમાં ટેન્કરથી પાણી પૂરું પાડવાની જરૂરિયાત જણાઈ નથી પરંતુ ધંધૂકા તાલુકાના અસરગ્રસ્ત એવા રંગપુર અને સાલસરમાં હાલમાં પૂરતું પાણી ઉપલબ્ધ છે અને મે માસના અંત પછી જરૂર પડશે તો ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવશે.
તેમણે જણાવ્યું કે જિલ્લાના નાગરિકોને પીવાના પાણીની કોઈપણ જરૂરિયાતને પહોંચી વળવા તાલુકાના પ્રાંત અધિકારીઓને સત્તા આપવામાં આવી છે. એટલું જ નહીં ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવાનું થાય તો તેના માટેના ભાવ પણ નિયત કરવામાં આવ્યાં છે.અમદાવાદ જિલ્લામાં જળ અભિયાન અંતર્ગત ૪૫૩ કામોનું આયોજન કરવામાં આવ્યું છે, જે પૈકી ૩૯ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે, ૧૬૭ કામો પ્રગતિમાં છે અને ૨૪૫ કામો શરૂ થવા જઇ રહ્યા છે તેમજ આ તમામ કામો જનભાગીદારીથી કરવામાં આવી રહ્યા છે.જિલ્લામાં પશુઓ માટેના ઘાસચારાની પૂરક વિગતો આપતા જિલ્લા કલેકટર ડૉ. વિક્રાંત પાંડે એ જણાવ્યું હતું કે, જિલ્લામાં ૬ જેટલા ઘાસ ડેપો છે જેમાંથી અત્યાર સુધી ૭૪૪ લાખ મે.ટન ઘાસનું વિતરણ કરવામાં આવ્યું છે.આ ઘાસ ડેપો પરથી પશુ દીઠ રોજનું ૨૦ કિલો ઘાસ પૂરું પાડવામાં આવી રહ્યું છે તેમજ પાંચ પશુ દીઠ સાત દિવસનું ઘાસ એક સાથે આપવામાં આવી રહ્યું છે.જિલ્લામાં પાણી ચોરીના કિસ્સામાં ગ્રામપંચાયત અને પોલીસને સાથે રાખી ફરિયાદ નોંધી કાર્યવાહી કરાશે. જિલ્લાના જે ગામોમાં એકાંતરે કે વધુ અંતરે પાણી આપવામાં આવતું હશે ત્યાં પાણી પુરવઠાના અધિકારીઓ દ્વારા સર્વે કરી જરૂરિયાત મુજબ વ્યવસ્થા ઊભી કરાશે.જિલ્લામાં જરૂરિયાત મુજબ ૩૫ બોરનું આયોજન કરવામાં આવ્યું છે. નળકાંઠાના બાર જેટલા ગામો નર્મદા આધારિત પાણી મળે છે.

Related posts

पश्चिम और पूर्व के क्षेत्रों में दस नये पार्क बनाये जायेंगे

aapnugujarat

ગોધરા ખાતે રાજીવ ગાંધીની પુણ્યતીથી નિમીત્તે કોંગ્રેસે શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ

editor

इन्दिराब्रिज से गांधीनगर का रास्ता फॉर लेन बनाया जाएगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1