Aapnu Gujarat
ગુજરાત

આણંદ જિલ્લાના ધર્મજમાં ૧૨ મેના રોજ ફેરમતદાન થશે

ગુજરાતમાં ૨૩ મે, ૨૦૧૯ના રોજ યોજાયેલ મતદાનમાં રાજ્ય ચૂંટણી પંચે આણંદ જિલ્લાના વિધાનસભા મતવિભાગ સોજીત્રાના મતદાન મથક નંબર ૨૩૯ ધર્મજ ગામનું મતદાન રદ કર્યું છે, જેનું ફેરમતદાન ૧૨ મેના રોજ યોજાશે.
જો કે ચૂંટણી પંચે તેના માટે કોઈ કારણ રજૂ કર્યું નથી.લોકસભાની ચૂંટણી, ૨૦૧૯ માટે તા.૨૩.૦૪.૨૦૧૯ ને મંગળવારનાં રોજ થયેલ મતદાન પૈકી નીચે દર્શાવેલ એક મતદાન મથકનું મતદાન ભારતના ચૂંટણી પંચે સને ૧૯૫૧નાં લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ-૫૮(૨) અન્વયેરદ કરેલ છે.એક મતદાન મથક ખાતે હવે તા.૧૨.૦૫.૨૦૧૯ ને રવિવારના રોજ સવારે ૭.૦૦થી સાંજે ૬.૦૦ વાગ્યા દરમિયાન નવેસરથી મતદાન કરવામાં આવશે. જે અંગે સંબંધકર્તા રાજકીય પક્ષો અને સંબંધિત મતદાર વિભાગના ઉમેદવારોને તેમજ મતદાન મથકના મતદારોને નોંધ લેવા જણાવવામાં આવે છે.

Related posts

વિરમગામમાં પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજાયો

editor

શિહોરી વીજ વિભાગની ગંભીર બેદરકારી

aapnugujarat

ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જિલ્લા વહીવટી તંત્ર રાજ્યમાં વરસાદની આપત્તિને પહોંચી વળવા સજ્જ : વિજય રૂપાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1