ધોરાજીથી અમારા સંવાદદાતા કૌશલ સોલંકી જણાવે છે કે, ધોરાજી માં પણ તાઉતે વાવાઝોડાની ભારે અસર જોવા મળી છે. ધોરાજીમાં કેટલીક જગ્યા એ ભારે પવન ના કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા અને શહેર ના અને હાઇવે પર ના રસ્તાઓ પર વૃક્ષો પડી જતાં વાહન વહેવાર ઠપ થઈ ગયો હતો.
આ કપરા સમય માં ધોરાજી ના ફોરેસ્ટ ઓફિસર શ્રીમતી શબનમ બલોચ એ મોડી રાત્રે ભારે પવન ફુંકાઈ રહ્યો હતો અને વરસાદ વરસી રહીયો હતો ત્યારે એમને એમના પરિવાર વચે રહેવાની ચિંતા કર્યા વગર રાત્રિ ના સમયે એમના સ્ટાફ સાથે વૃક્ષો ને રસ્તા પરથી હટાવવા ની કામગીરી માં જોડાયા હતા. કહેવત છે કે નારી તું નારાયણી જે કહેવત ને ધોરાજી ના મહિલા ફોરેસ્ટ અધિકારી એ સાર્થક કરી બતાવી હતી અને સવાર પહેલા તમામ રસ્તાઓ ખુલ્લા કરી દેવાયા હતા