બોટાદથી અમારા સંવાદદાતા ઉમેશ ગોરાહવા જણાવે છે કે, તાઉતે વાવાઝોડાની અસર સમ્રગ ગુજરાત રાજ્યમાં જોવા મળી રહી છે ત્યારે જોરદાર પવન અને વરસાદ ને કારણે બોટાદ સરકારશ્રી દ્વારા સંચાલિત આરાધના કોવિડ -19 હોસ્પિટલ ખાતે જવાના મુખ્ય માર્ગ પર મોટું વૃક્ષ ધરાસાઈ થઈ ગયું હતું.જેના રસ્તાનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયેલ હતો. જે.સી.બી. પહોંચવામાં મોડું થાય એમ હતું જેથી પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં એ દરમિયાન મેસેજ મળતાં તાત્કાલીક જગ્યાએ પહોંચી વૃક્ષ હટાવી કોવિડ હોસ્પિટલ જવાનો મુખ્ય માર્ગ ખુલ્લો કરાવી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવેલ છે.