Aapnu Gujarat
National

વિરાટ અને અનુષ્કાનુ 2 કરોડનું દાન

આ મહામારીમાં સેલેબ્રીટી પોતાની બનતી મદદ કરી રહ્યા છે. ત્યારે હવે ક્રિકેટર વિરાટ કોહલી તથા તેની પત્ની અનુષ્કા શર્માએ જરૂરિયાતમંદ લોકો માટે પૈસા ભેગા કરવાનું અભિયાન શરૂ કર્યુ છે. વિરાટ તથા અનુષ્કાએ ચાહકોને આ અભિયાનમાં મદદ કરવાની અપીલ કરી છે. અનુષ્કા તથા વિરાટે આ ફંડમાં રૂપિયા 2 કરોડનું દાન આપ્યું છે.વિરાટ કોહલીએ કહ્યું હતું,આપણો દેશ કોરોનાની મહામારી નો સામનો કરી રહ્યો છે ત્યારે ‘અનુષ્કા તથા મેં કોવિડ 19ની સામેની જંગમાં ફંડ ભેગું કરવાનું અભિયાન શરૂ કર્યું છે. તેમણે લોકોને મદદ કરવાની અપીલ કરી છે કે,અમે તમારા સમર્થનના આભારી રહીશું. આપણે સાથે મળીને આગળ આવીએ તથા જરૂરિયાતમંદ લોકોની મદદ કરીએ. હું તમામને અમારા આ અભિયાનમાં સામેલ થવાનો આગ્રહ કરું છું.’

Related posts

મહારાષ્ટ્રમાં સર્જાઈ મોટી દુર્ઘટના

editor

ભાસ્કર ગ્રુપ પર આવકવેરા વિભાગની મોટી તવાઈ

editor

પતિએ પત્નીની હત્યા કરી કારણ જાણી લાગશે નવાઈ

editor

Leave a Comment

UA-96247877-1