મહારાષ્ટ્રમાં વરસાદ ને કારણે પુરની સ્થિતિ સર્જાઈ છે. આખું મહારાષ્ટ્ર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મહારાષ્ટ્રના રાયગઢમાં ભૂસ્ખલનને કારણે કાટમાળ નીચે દબાઈને 44 લોકોની મોત થઈ ગઈ છે.મહાડમાં અલગ અલગ ત્રણ જગ્યા પર ભૂસ્ખલન થવાના સમાચાર મળી રહ્યા છે.પહાડ ક્રેક થતા જે કાટમાળ નીચે પડ્યો એમાં ઘણા લોકો ફસાય છે.રેસ્ક્યુ કરી લોકોને બહાર કાઢવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. 44 લોકોની મોત થઈ છે અને હજી 90 લોકો ફસાયા હોવાની શંકા છે.અત્યાર સુધી ૧૫ લોકોના રેસ્ક્યુ કરાયા છે.એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ