Aapnu Gujarat
ગુજરાત

કેજરીવાલ થયા આઇસોલેટ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ કોરોના પોઝિટિવ આવ્યા છે. પત્ની કોરોના સંક્રમિત થતાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પોતાને આઇસોલેટ કરી લીધા છે. મળતી માહિતી પ્રમાણે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ પણ પોતાને આઇસોલેટ કરી લીધા છે.બીજી બાજુ, કેજરીવાલે મંગળવારે સવારે ટિ્‌વટ કરી કહ્યું હતું કે, દિલ્હીમાં આજથી લોકડાઉન શરૂ થઇ ગયો છે.
આ નિર્ણય તમારા સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. મહેરબાની કરી આમાં સરકારને સહયોગ કરો. ઘરે જ રહો, સંક્રમણથી બચીને રહો.
દિલ્હીમાં કોરોના સંક્રમણ સતત પ્રસરતો જાય છે અને રોજ નવા રેકોર્ડ જોવા મળી રહ્યાં છે. દિલ્હીમાં ગઇકાલે ૨૩ હજાર નવા કેસ નોંધાયા હતા. દિલ્હીમાં દરરોજ હજારોની સંખ્યામાં કોરોનાના દર્દીઓ સામે આવતાં હોસ્પિટલોમાં બેડ્‌સની પણ કમી જોવા મળી રહી છે. જ્યારે ઓક્સિજનની પણ કમી સામે આવી રહી છે. કોરોનાના પ્રકોપને પગલે દિલ્હીમાં છ દિવસનું લોકડાઉન લાદવામાં આવ્યું છે. જે ૨૬ એપ્રિલે સવારે ૫ વાગ્યા સુધી લાગુ રહેશે.

Related posts

१०८ को २५ दिन में १५ हजार रिकॉर्डब्रेक कोल्स मिले

aapnugujarat

કડીમાં ઉમિયા માતાજીના કંકોત્રીના વધામણા પ્રસંગ ઉજવાયો

aapnugujarat

મુખ્યમંત્રીશ્રી રાહત ફંડમાં રૂા.૧ લાખનો ચેક નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાને અર્પણ કરતા શ્રી સાર્વજનિક દેવમોગરા માઇ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1