ઉંઝા ખાતે આગામી સમયમાં ઉમિયા માતાજીના સાંનિધ્યમાં યોજાનાર લક્ષચંડી યજ્ઞમાં ઉપસ્થિત રહેવા માટે માઇ ભક્તો દ્વારા કંકોત્રી મોકલવામાં આવી રહી છે ત્યારે કડી ખાતે ઉમિયા માતાના લક્ષચંડી યજ્ઞમાં પધારવા મોકલવામાં આવેલી કંકોત્રીનાં વધામણાંનો કાર્યક્રમ યોજાયો હતો. નાની કડી વિસ્તારમાં આવેલા રામજી મંદિરથી બેન્ડવાજા અને વરઘોડા સાથે ઉમિયા માતાજીની કંકોત્રીનું વધામણું કરવામાં આવ્યું હતું જેમાં કડી માર્કેટયાર્ડના ચેરમેન વિનોદ પટેલ, કડી વી.એચ.પી.ના પ્રમુખ ભુપેન્દ્ર પટેલ, વાસુદેવ પટેલ, પ્રદીપ પટેલ(જય ભગવાન) સહિત વિસ્તારના ભાઈઓ તેમજ મહિલા મંડળો જોડાયા હતા.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ