ગુજરાત રાજ્યમાં અતિવૃષ્ટીને કારણે જાન-માલને નુકશાન થયેલ છે. તેવા લોકોની મદદ કરવા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અપીલ કરતા આજ રોજ નર્મદા જિલ્લાના પ્રખ્યાત દેવમોગરા માતાજી મંદિરના ટ્રસ્ટીઓ સર્વશ્રી કેસરસિંહ વસાવા, શ્રી કાંતિભાઇ કોઠારી, શ્રી વિજયસિંહ વસાવા, શ્રી રણજીતસિંહ વસાવા, શ્રી ધર્મેન્દ્રસિંહ વસાવા વગેરેએ નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાને મળી શ્રી સાર્વજનિક દેવમોગરા માઇ મંદિર ટ્રસ્ટ- દેવમોગરા તરફથી રૂા. ૧ લાખનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડ માટે અર્પણ કર્યો હતો.
જિલ્લા કલેક્ટરશ્રી નિનામાએ અસરગ્રસ્ત લોકોની મદદ માટે સાર્વજનિક દેવમોગરા માઇ મંદિર ટ્રસ્ટનો સરકાર વતી આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ સાર્વજનિક ટ્રસ્ટે જે અસરગ્રસ્તોની મદદ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂા. એક લાખનો ચેક આપી ઉમદા કાર્ય કર્યું છે અને તે બદલ તેમણે સર્વે ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.