સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જણાવે છે કે, સુરેન્દ્રનગરના ચુડામાં જોરાપુર વિસ્તારમાં કોળિયા રામજી મંદિર પાસે રહેતા અજીતભાઈ મીઠાપરા નો પુત્ર જાણ કર્યા વગર મિત્રો સાથે કુવા માં નહાવા ગયો હતો.નાહીને બન્ને મિત્રો બહાર આવી ગયા પરંતુ કુલદીપ બહાર ના આવતા મિત્રો દ્વારા સમગ્ર ઘટના ની જાણ તેના પિતા ને કરવામાં આવી હતી.વાત જાણી ને અજીતભાઈ મીઠાપરા કુવા પાસે દોડી આવ્યા હતા.કુવામાં વધુ પાણી હોવાથી બે કલાક ની મહેનત બાદ મૃતદેહ બહાર કઢાયો હતો.કુલદીપ ના મૃતદેહને જોઈને લોકો માં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ