અમદાવાદ શહેર જ નહીં પરંતુ ગુજરાતભરમાં કોરોના વાયરસના કેસ ફરીથી નોંધાવા લાગ્યા છે. રામોલ વિસ્તારમાં રહેતી 27 વર્ષીય મહિલા, જેનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી તેનું મંગળવારે મોત થયું હતું. હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે તેણે વેક્સિન લીધી હતી. સતત ચોથા દિવસે અમદાવાદમાં કોવિડના કારણે મૃત્યુ નોંધાયું હતું. સોમવારે કોરોનાના 75 કેસ નોંધાયા હતા જ્યારે મંગળવારે નોંધાયેલા કેસનો આંકડો 148 હતો, આમ 24 કલાકમાં દૈનિક કેસમાં બમણો વધારો થયો હતો. 1,957 ટેસ્ટની સાથે શહરેમાં ટેસ્ટ પોઝિટિવિટી રેટ 7.5 ટકા હતો. સમગ્ર ગુજરાતમાં નવા 364 કેસ નોંધાયા હતા, જે રાજ્ય માટે છેલ્લા નવ દિવસનો સૌથી વધુ આંકડો હતો. મહેસાણાં 36, વડોદરામાં 28, સુરતમાં 22, પાટણમાં 15, વડોદરા જિલ્લામાં 12 તેમજ વલસાડમાં 11 કેસ નોંધાયા હતા. આશરે 60 ટકા નવા કેસ તો માત્ર ગુજરાતના પાંચ મોટા શહેરના હતા. 348 દર્દીઓના ડિસ્ચાર્જ થવાની સાથે એક્ટિવ કેસ 1,947 સુધી પહોંચી ગયા છે. ત્રણ દર્દીઓ વેન્ટિલેટર પર હતા. લગભગ 60% નવા કેસ ગુજરાતના પાંચ મોટા શહેરોના હતા. 348 દર્દીઓના ડિસ્ચાર્જ સાથે, સક્રિય કેસ 1,947 પર પહોંચી ગયા છે. ત્રણ દર્દીઓ વેન્ટિલેટર પર હતા.
શહેરની એક હોસ્પિટલમાં મંગળવારે ઓક્સિજન ટેંક ખરાબ હોવાનું જણાવ્યું હતું. કોવિડની નવી લહેર માટે તંત્ર પૂર્વ તૈયારી કરી રહ્યું છે ત્યારે રાજ્યવ્યાપી કવાયતનો તે બીજો દિવસ હતો. એએસસી (હેલ્થ) મનોજ અગ્રવાલે અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં કેટલીક ખામીઓ મળી હોવાનું જણાવ્યું હતું. ‘કવાયતનો હેતુ ખામી શોધવા અને ઠીક કરવાનો હતો. અમે અમારા ધ્યાનમાં આવેલા તમામ મુદ્દાનું નિરાકરણ કરી રહ્યા છીએ’. તો આ સાથે જોડાયેલા નજીકના સૂત્રોએ કહ્યું હતું કે, અધિકારીઓને જે મુદ્દાઓ મળ્યા છે તે મોટાભાગમાં ઓક્સિજન સપ્લાય, ટ્રાયેજનું યોગ્ય સંચાલન, નાના કેન્દ્રો પર ઓક્સિજન અને વેન્ટિલેટર બેડની ઉપલબ્ધતા, પ્રવેશ માટે આદેશનોની ઉચિત શ્રૃંખલા તેમજ વોર્ડ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. અગ્રવાલે ઉમેર્યું હતું કે, સંખ્યાની દ્રષ્ટિએ આ કવાયત રાજ્યમાં સૌથી મોટી હતી અને તેનું પરિણામ સંતોષજનક રહ્યું હતું. ‘વર્ષોથી સરકારી અને ખાનગી સેટઅપમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થયો છે. કેસ ભલે કંટ્રોલમાં હોય તેમ છતાં અમે કોઈપણ આકસ્મિક સ્થિતિ માટે તૈયાર છે’
પ્રેક્ટિશનરોનો અંદાજ સૂચવે છે કે, રાજ્યમાં માર્ચ મહિનાના દરેક દિવસે ફ્લૂના સેંકડો નવા કેસ નોંધાયા હતા. ‘માર્ચમાં ખાસ કરીને ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોવિડ-19 ઈન્ફેક્શનમાં વધારો જોવા મળ્યો હતો. આ સિવાય H3N2 ઈન્ફેક્શનની સાથે સામાન્ય ફ્લૂના કેસ પણ નોંધાયા હતા. તેમાંથી મોટાભાગના ઈન્ફેક્શન શ્વાસ સંબંધિત અને વાયરલ બીમારીઓ સાથે જોડાયેલા હતા’. મેડિકલ પ્રેક્ટિશનરોના જણાવ્યા પ્રમાણેસ H3N2ના દર્દીઓ સૂકી ખાંસીથી પીડાતા હતા અને ઓપીડીમાં દર્દીઓમાં ઓછામાં ઓછા 30થી 35 ટકા વધારો જોવા મળ્યો હતો.