Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરમાં જોગર્સ પાર્ક ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કરી સફાઈ

ભાવનગરથી અમારા સંવાદદાતા સુરેશ ત્રિવેદી જણાવે છે કે, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ભાવનગર જિલ્લાની બે દિવસીય મુલાકાતે છે ત્યારે મુલાકાતના પ્રથમ દિવસે રાજ્યપાલશ્રીએ અલંગની મુલાકાત લીધા બાદ વાઘાવાડી રોડ પર આવેલ જોગર્સ પાર્ક ખાતે સાફ સફાઈ કરી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા હતા. રાજ્યપાલશ્રી સાથે સાફ સફાઈ દરમ્યાન તેમના ધર્મપત્નિ પણ જોડાયા હતા. રાજ્યપાલશ્રીએ આ તકે સૌને સ્વચ્છતાનો આગ્રહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સ્વચ્છતા થકી સમગ્ર દેશ સ્વસ્થ અને પવિત્ર બનશે. રાજ્યપાલશ્રીએ દરેક નાગરિકોને સ્વચ્છતાની સાથે સાથે વ્યસનમુક્ત થવા, પાણીનો બચાવ કરવા, પર્યાવરણની જાળવણી કરવા તેમજ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા પણ અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલશ્રીએ ભાવનગર જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ૧૫ થી વધુ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો તેમજ તેમના દ્વારા ઉત્પાદિત થતા પ્રાકૃતિક ફળો, શાકભાજી, ધાન્ય પાકો વગેરે રસપૂર્વક નિહાળ્યા હતા અને તેમને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા.
ત્યારબાદ રાજ્યપાલશ્રી ભાવનગરની વાઘાવાડી રોડ સ્થિત એચ.ડી.એફ.સી.બેન્કથી સંત કંવરરામ ચોક થઈ માધવ દર્શન ચોક સુધીનું આશરે દોઢ કિલોમીટર જેટલું અંતર પગપાળા ચાલ્યા હતા અને માર્ગમાં આવતા વેપારીઓ તથા નાગરિકોની સાથે મુલાકાત કરી તેમની સાથે સંવાદ કર્યો હતો તેમજ તેમના ખબર અંતર પૂછ્યા હતા.

Related posts

રાજ્યમાં ધોરણ ૧થી ૯ અને ૧૧માં માસ પ્રમોશન અપાયું

editor

સેનિટેશન કાર્યક્રમ : ગુજરાતને તૃતિય એવોર્ડ એનાયત કરાયો

aapnugujarat

પૂર્વ સાંસદ રતિલાલ વર્મા સાથે મહેમદાવાદનાં ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની શુભેચ્છા મુલાકાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1