તાજમહેલ ને બોમ્બથી ઉડાડી દેવાની એક શખ્સ દ્વારા ફોન કરી ધમકી અપાઈ હતી.આ ફોનની સાથે પોલીસ તંત્ર દોડતુ થઈ ગયુ હતું. વાત ને ગંભીરતા થી લેતા જાણકારી મળતા જ પોલીસ તંત્ર એ તાજમહેલ ખાલી કરી દીધો હતો. અને પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ શોધખોળ દરમિયાન કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. બાદ માં પોલીસ દ્વારા એ શખ્સ ની લોકેશન મેળવી તેને ફરીદાબાદ થી ઝડપી લીધો હતો. અને ફરીથી તાજમહેલ ના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.આગ્રાના આઈજી એ જણાવ્યું હતું કે આ વાત માત્ર અફવા છે લોકોએ ડરવાની જરૂર નથી .આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.