હિંમતનગર નગરપાલિકા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હિંમતનગર નગરપાલિકા વોર્ડ નંબર ૮ ભાજપના ઉમેદવાર સાવન દેસાઈ, કિરીટભાઈ શાહ, ચેતનાબેન કડિયા અને કુંતલ ગોર દ્વારા શહેરના મહાવીરનગરમાં આવેલ પંચદેવ મંદિર ખાતે મા જગદંબાના ચરણોમાં શિશ નમાવી માતાજીના આશીર્વાદ મેળવી પોતાના પ્રચાર પ્રવાસની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે પંચદેવ મંદિરના પૂજારીએ પણ ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત થાય તે માટે શ્રીફળ આપી ફુલહાર પહેરાવી આશીર્વાદ આપ્યા હતા. હિંમતનગર મહાવીરનગર વિસ્તારમાં લોકોએ પણ ચારેય ઉમેદવારોને ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પ્રચાર યાત્રામાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા ત્યારે ચારેય ભાજપના ઉમેદવારોએ પેનલને જંગી બહુમતીથી વિજય બનાવવા લોકોને પણ અપીલ કરી હતી. પેનલનો જંગી બહુમતીથી વિજય થાય અને ફરી પાછા લોક સેવાના કાર્યોમાં ખડે પગે જોડાઈ જઈએ ઉમેદવારોએ જણાવ્યું હતું. ગત રાત્રિ હિંમતનગર નગરપાલિકા વોર્ડ નંબર ૮ માં મારુતિ નગર ખાતે રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના અગ્રણી બંટીભાઈ મહેતા, જયેશભાઈ પટેલ ( કવિ ) તેમજ અન્ય અગ્રણીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર – અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)