શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અંતર્ગત રંગીલા કેનેડિયન પરિવારે વિદેશમાં બેઠા બેઠા વિડીયો કોલ મારફતે હિંમતનગર વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય ખાતે રૂપિયા ૫૧ હજારનો ચેક અર્પણ કર્યો છે. હિંમતનગર ભાજપના કાર્યકર પારસ મહેતાના સાળા મિલિત પંડ્યા હાલ કેનેડામાં સ્થાઈ છે અને શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત રૂપિયા ૫૧ હજારનો ચેક અર્પણ કર્યો હતો. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી હિતેશ પટેલ, બજરંગ દળના રાજુ માલવિયા, દક્ષ પટેલ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પારસ મહેતા, નયન મહેતા અને જનક જોશીના હસ્તે રૂપિયા ૫૧ હજારનો ચેક સ્વીકાર્યો હતો. સમાજમાં આ દાનવીરે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું વિદેશમાં બેઠા બેઠા પણ રામ મંદિર માટે દાન આપનાર આવા દાનવીરોનો વિ.હિ.પ. દ્વાર આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
(તસવીર – અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)
પાછલી પોસ્ટ