સોમનાથથી અમારા સંવાદદાતા મહેન્દ્ર ટાંક જણાવે છે કે, ગીર સોમનાથ જીલ્લા ના વડામથક વેરાવળમા નગરપાલીકા વિસ્તારમા આવેલ ચોપાટી નવનિમાઁણ નુ કામ વષોઁથી ગોકળગાય ની ગતિએ ચાલી રહેલ છે . ગીર સોમનાથ ના વડામથક વેરાવળ મા આવેલ ચોપાટી બે બે કલેકટર બદલાયા છતા હજુt કામ પૂર્ણ થયુ નથી…વેરાવળમા લોકોને ફરવા માટે ચોપાટી એક જ સ્થળ આવેલ છે ત્યારે કરોડો રુપીયાના ખર્ચે આ ચોપાટીનુ કામ 90% પૂર્ણ થઇ ગયેલ છે પરંતુ લોકાપર્ણ કરવા વહીવટી તંત્ર કે રાજકીય આગેવાનોને યોગ્ય મુહૂર્ત આવતુ નથી .
ત્યારે આ નવનિમાઁણ થઇ રહેલી ચોપાટી વિશાળ જગ્યામા બનાવવામા આવેલ છે જેમા બાળકો માટે હીચકા, લસરપટૃટી, સહીત ના રમત ગમતના સાધનો , વૃધ્ધો માટે બેસવા માટે બાકડાઓ, ઠેરઠેર કચરા પેટી , લાઇટો , સીકયુરીટી , સહીત અનેક આધુનિક સુવિધાઓ સાથે આ ચોપાટી નિમાઁણ 90% પામી ચુકી છે ત્યારે હાલ તો આ ચોપાટી પર કચરાના ગંજ , લાઇટો બંધ , બાકડાઓ ટુટેલા સહીત નુ નુકશાન થઇ રહ્યુ છે ત્યારે વહેલી તકે લોકો માટે બનાવેલ આ ચોપાટીનુ લોકાપર્ણ થાય તેવુ લોકો ઈચ્છી રહયા છે. કરોડોના ખર્ચ સાથે વેરાવળ ચોપાટી બનાવવામા આવી છે ત્યારે લોકોને ફરવા માટે એક જ સ્થળ ચોપાટી છે પરંતુ લોકાપર્ણ ના વાકે ખુલ્લુ મુકવામા આવેલ નથી .આ ચોપાટી પર લોકોને આવવા પર મનાઇ હુકમ છે .રાજકીય લોકોના ઇશારે હજુ સુધી લોકાપર્ણ કરવામા આવેલ નથી . મિતેષ પરમાર , ગીર સોમનાથ જીલ્લાના વડામથક વેરાવળ ખાતે નવનિમાઁણ પામી રહેલ ચોપાટી નુ લોકાપર્ણ કરવાની વાતો 2016 મા થવાની રાજકીય આગેવાનો કરી રહ્યા હતા પરંતુ આજે 2021 પણ આવી ચુકી છે છતા આ ચોપાટી નુ લોકાપર્ણ થયુ નથી .લોકો માટે બનાવવામા આવેલ કરોડાના ખચેઁ બની રહેલ ચોપાટી હાલતો ઘણી ક્ષતી પામેલ હાલતમા જોવા મળી રહી છે.